➡️ શરતી વિધાન

જયારે કોઈ બે વિધાનો જો…તો…શબ્દો વડે જોડાતા જે વિધાનની રચના થાય તેને શરતી વિધાન કહે છે.

જેમકે

જો ગરમી પડે તો વરસાદ પડે.

જો મહેનત કરો તો સફળ થશો.

જો બીજ વાવીએ તો અંકુર ફૂટશે.

પ્રાતીક રજૂઆત :

1 G ➡️ R

2 M ➡️ S

3 B ➡️ A

શરતી વિધાનનું રૂપ :

p ➡️ q

શરતી વિધાનમાં ‘જો’ થી શરૂ થતાં વિધાનને પૂર્વાંગ કહે છે અને ‘તો’ થી શરૂ થતાં ઘટકને ઉતરાંગ કહે છે.

શરતી વિધાનમાં કારણ-કાર્ય સંબંધ હોય છે.

જો કારણ હાજર હોય તો કાર્ય હાજર હોય જ છે.

પૂર્વાંગમાં કારણ હોય અને ઉતરાંગમાં કાર્ય હોય છે..ઉપરના બધા ઉદાહરણમાં એવું જ જોવા મળે છે.

જો પૂર્વાંગ સત્ય માનીએ તો ઉતરાંગને સત્ય માનવું જ પડે.આ બાબતને આધારે જ સત્યતા મૂલ્યનો નિયમ બન્યો છે.

જો પૂર્વાંગ સત્ય અને ઉતરાંગ અસત્ય તો સમગ્ર શરતી વિધાન અસત્ય.

ટૂંકમાં T.. F ..તો…F

આમ, શરતી વિધાનના સત્યતાકોષ્ટકમાં જોઈએ તો બીજી હરોળમાં T ..F..તો F છે.

Leave a comment