કોઈ એક વિધાન રજૂ થાય અને તુરત જ તેના વિરોધી અનુમાન થઈ શકે તેને વિરોધાશ્રિત અનુમાન કહેવાય.
વિરોધ એટલે બે વિધાનો વચ્ચે
1 વિસ્તારમાં વિરોધ હોય
જેમકે,
સર્વ વિદ્યાર્થીઓ હોંશિયાર છે.
કેટલાક વિદ્યાર્થીઓ હોંશિયાર છે.
જૂઓ, અહીં પહેલું વિધાન સર્વદેશી છે જયારે બીજું એકદેશી..બાકી બધું સરખું છે.
2 વિધાનના ગુણમાં વિરોધ હોય
જેમકે,
કેટલાક બાળકો ડાહ્યા છે.
કેટલાક બાળકો ડાહ્યા નથી.
ઉપરના વિધાનો જૂઓ આમાં પહેલું વિધાન વિધાયક જયારે બીજું નિષેધક બાકી બધુંય સરખું.
3 વિધાનના વિસ્તાર અને ગુણ બંનેમાં વિરોધ હોય.
જેમકે,
સર્વ માણસો મરણશીલ છે.
કેટલાક માણસો મરણશીલ નથી.
જુઓ,આ બંને વિધાનોમાં વિસ્તાર અને ગુણ બંનેમાં વિરોધ છે પહેલું સર્વદેશી બીજું એકદેશી, જયારે પહેલું વિધાયક તો બીજું નિષેધક.બાકીના પદો એમ ને એમ જ છે.
આમ, વિધાનમાં વિરોધ ઉપર પ્રમાણે જોવા મળે છે.આને વિરોધાશ્રિત અનુમાન કહેવાય.
Continue reading “વિરોધાશ્રિત અનુમાન”