↔️ દ્વિ શરતી

જયારે કોઈ બે વિધાનો જો…તો…અને તો જ… શબ્દો વડે જોડાતા જે વિધાનની રચના થાય તેને દ્વિશરતી વિધાન કહે છે.

જેમકે

જો માણસનું હ્રદય બંધ પડે તો અને તો જ માણસ મૃત્યુ પામ્યો કહેવાય.

જો પાણીને 100℃ ગરમી આપવામાં આવે તો અને તો જ પાણી ઉકળે.

જો ધાતુને ગરમી આપવામાં આવે તો અને તો જ કદમાં વધારો થાય.

પ્રાતીક રજૂઆત :

1 H ↔️ D

2 C ↔️ U

3 G ↔️ K

દ્વિશરતી વિધાનના બંને ઘટકો પરસ્પર શરતોથી જોડાયેલા હોય છે.આવા વિધાનો વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય છે તેમાં સામસામી શરત હોય છે.

દ્વિશરતી વિધાનનું રૂપ :

p ↔️ q

શરતી વિધાનમાં ‘જો’ થી શરૂ થતાં વિધાનને પૂર્વાંગ કહે છે અને ‘તો’ થી શરૂ થતાં ઘટકને ઉતરાંગ કહે છે.

સત્યતામૂલ્યનો નિયમ:

દ્વિશરતી વિધાનના બંને ઘટકો સત્ય હોય ત્યારે અને બંને ઘટકો અસત્ય હોય ત્યારે જ સમગ્ર દ્વિશરતી વિધાન સત્ય બને.

આ સત્યતા કોષ્ટકમાં પહેલી અને છેલ્લી હરોળમાં જોવા મળે છે કે પહેલી હરોળમાં બંને ઘટકો T છે ચોથી હરોળમાં બંને F છે અને બંને હરોળમાં p ↔️ q એ આખું વિધાન T જોવા મળે છે.

Leave a comment