જયારે કોઈ બે વિધાનો ‘અથવા’ વડે જોડાય ત્યારે તે વૈકલ્પિક વિધાન કહેવાય.જેમકે..
કાં તો મહેમાન ચા પીશે અથવા કૉફી પીશે.
કાં તો તમે આર્ટસ પસંદ કરશો કે કૉમર્સ પસંદ કરશો.
કાં તો તું યુદ્ધ જીતીશ અથવા પરાજય પામીશ.
ઉપરના બધા વિધાનમાં બે વિકલ્પો છે તેથી આ વૈકલ્પિક વિધાનો કહેવાય.
આ વિધાનોની પ્રાતીક રજૂઆત નીચે મુજબ થશે.
1 T v C
2 A v C
3 J v P
અહીં આપણે વિધાનો પ્રમાણે પ્રતીકો વિધાન અચલ મૂકયા..પરંતુ વિધાન રૂપ નીચે મુજબ થશે.
વિધાનરૂપ
p v q
સત્યતા મૂલ્યનો નિયમ :
વૈકલ્પિક વિધાનના બંને ઘટકો અસત્ય હોય તો જ સમગ્ર વૈકલ્પિક વિધાન અસત્ય બને.
જો કે આ નિયમ નિર્બળ વિકલ્પને જ લાગું પડે..જયારે બે પ્રબળ વિકલ્પો હોય ત્યાં તો બંને વિકલ્પ એકી સાથે સત્ય ન હોય.જેમકે..
કાં તો ચૉક સફેદ છે અથવા રંગીન છે..
અહીં બંને વિકલ્પો એકસાથે સત્ય T ન જ હોય આ પ્રબળ વિકલ્પો છે.
પરંતુ ચા કે કૉફી જેવા વિકલ્પો એકીસાથે સત્ય હોય શકે.
સત્યતાકોષ્ટક-
ઉપરના કોષ્ટકમાં છેલ્લી હરોળમાં બંને વિકલ્પો અસત્ય છે ત્યાં જ p v q હરોળમાં F છે એ જોઈ શકાય છે.
આમ, બંને વિકલ્પો અસત્ય તો જ સમગ્ર વૈકલ્પિક વિધાન અસત્ય બને.