& સમુચ્ચય

તાર્કિક વિધાનોમાં બીજું કારક એ સમુચ્ચય.

જયારે કોઈ બે સાદાં વિધાનો ‘અને’ વડે જોડવામાં આવે ત્યારે સામુચ્ચયિક વિધાનની રચના થાય છે.જેમકે..

હૃત્વિકે તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્ર પસંદ કર્યું છે.

ગાંધીજી રાષ્ટ્રપિતા છે અને કોવિદ રાષ્ટ્રપતિ છે.

જૈન ધર્મનો સિદ્ધાંત અહિંસા છે અને બૌદ્ધ મધ્યમમાર્ગી છે.

પ્રાતીક રજૂઆત

1 T & S

2 G & K

3 J & B

વિધાનરૂપ

p & q

સત્યતામૂલ્યનો નિયમ

જયારે વિધાનના બંને ઘટકો સત્ય હોય ત્યારે જ સમગ્ર સામુચ્ચયિક વિધાન સત્ય બને.

સત્યતાકોષ્ટક

ઉપરના કોષ્ટકમાં પ્રથમ હરોળમાં બંને ધટકો સત્ય છે ત્યાં જ સમગ્ર વિધાન p&q માં T સત્ય જોવા મળે છે.

આમ, ઉપરના ઉદાહરણ જોઈએ તો ખ્યાલ આવે કે સમુચ્ચયનું કોઈ એક ઘટક અસત્ય હોય તો કે બંને ઘટક અસત્ય હોય તો સમગ્ર વિધાન અસત્ય બને છે.

Leave a comment