વ્યાપ્તિ

દરેક વિજ્ઞાન નું કાર્ય સંશોધન કરવાનું છે અને સંશોધનનો આધાર વ્યાપ્તિ છે.

તર્કશાસ્ત્ર એ સંશોધનની પદ્ધતિ આપી છે જેને બધા શાસ્ત્રો અનુસરે છે.શાસ્ત્રો અને વિજ્ઞાનોનું કાર્ય સિદ્ધાંતો સ્થાપવાનું છે.

કોઈપણ સિધ્ધાંત સ્થાપવો હોય તો પહેલા નિરીક્ષણ કરવું પડે નિરીક્ષણ કરતા જે સામાન્ય બાબત જોવા મળે તેને આધારે “સામાન્યીકરણ ની પ્રક્રિયા” થાય તેમાંથી જ સંશોધનની પ્રક્રિયા ઉદભવે છે,જેમાંથી સિદ્ધાંત સ્થાપવાનું શક્ય બને છે.


જેમકે,


” કેટલાક પક્ષીઓને પાંખ છે અને ઉડી શકે છે” એ જોઇને “સર્વ પક્ષી ઉડી શકે છે” તેવું વ્યાપ્તિ વિધાન તારવી શકાય છે.


ગૃહિણીઓ રોજ વ્યાપ્તિ પદ્ધતિનો ઉપયોગ કરે છે.

ખીચડી કે શાક બનાવતી વખતે ગૃહિણી એક શાકનું ફોડવું દબાવીને નક્કી કરે છે કે શાક ચડી ગયું છે કે નહિ ? એક બે મગ ચોખાના દાણાને આધારે ખીચડી ચડી ગઈ છે કે નહિ? તેનું અનુમાન કરે છે.

આ જ બાબત વિજ્ઞાનના સિદ્ધાંતો સ્થાપવામાં પણ કામ લાગે છે.
“સર્વ ધાતુ ગરમી આપવાથી પીગળે છે.”
“સર્વ પદાર્થ પોતાના વજન જેટલું પ્રવાહી ખસેડે છે.”
“સર્વ બાળકો નિર્દોષ છે.”
ઉપરના બધા જ વ્યાપ્તિ વિધાનો કેટલીક હકીકતોનું નિરીક્ષણ કર્યા બાદ તારવવામાં આવ્યા છે.

ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન,જીવ વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન કે મનોવિજ્ઞાન બધા જ વિજ્ઞાન આ વ્યાપ્તિ પદ્ધતિને આધારે જ તારણો પ્રાપ્ત કરે છે.આમ વ્યાપ્તિ એ વિજ્ઞાનનો પાયો કે આધાર છે.

“એક્ઝીટ પોલ” પણ વ્યાપ્તિને આધારે જ અનુમાન કરે છે.
કેટલીક હકીકતોને આધારે સાર્વત્રિક વિધાન તારવવું એટલે વ્યાપ્તિ.
વ્યાપ્તિમાં સંભાવના હોય છે.વ્યાપ્તિ હંમેશા સત્ય જ હોય તેવું ના બને પરંતુ સત્ય હોવાની શક્યતા રજૂ કરે છે.સિદ્ધાંત સ્થાપનનું બીજ એ વ્યાપ્તિ છે.

સમાન બાબતો જોવી અને મનમાં તર્ક પ્રક્રિયા ચાલે તેમાંથી વિજ્ઞાનનો સિદ્ધાંત જન્મે છે.
પંખીની પાંખો જોઇને જ વિમાન ની પાંખોનો વિચાર જન્મ્યો હશે.
પાંદડું ચાલતા પવનનો અનુભવ તેને આધારે હાથ પંખો અને આજે ઇલેક્ટ્રિક પંખો,એરકુલર કે એરકન્ડીશન એ વ્યાપ્તિલક્ષી તાર્કિક પ્રક્રિયાનું પરિણામ છે.

જગતની બધી જ સુખ સગવડો અને શોધ એ વ્યાપ્તિ ને આધારે થઇ છે એથી જ વ્યાપ્તિ એ વિજ્ઞાનનો પાયો છે અને તર્કશાસ્ત્ર બધા શાસ્ત્રોનું શાસ્ત્ર કહેવાય છે અને વિજ્ઞાનોનું વિજ્ઞાન કહેવાય છે.

Leave a comment