જે અનુમાનમાં મધ્યપદની જરૂર ન હોય માત્ર એક જ આધાર વિધાન હોય તેને આધારે આપમેળે જ ફલિતવિધાન પ્રાપ્ત થાય તેવું અનુમાન એટલે અમધ્યપદી અનુમાન.
જેમકે,
સર્વ બાળકો નિર્દોષ છે.
આ વિધાન પરથી આપમેળે ફલિત થઈ જાય કે…
કોઈપણ બાળક ગુનેગાર નથી.
સર્વ વિદ્યાર્થીઓ હાજર છે.
આનો અર્થ એમ કે..
કોઈપણ વિદ્યાર્થીઓ ગેરહાજર નથી.
આમ, આ અનુમાનમાં મધ્યપદની જરૂર પડતી નથી એટલે આ અમધ્યપદી અનુમાન.
ન્યાયશાસ્ત્રમાં આને અર્થાપત્તિ કહે છે.
એમાં ઉદાહરણ છે કે
पीनो देवदत्त दिवा न भुङ्ते इति रात्रिभोजनं सूचयति |
જાડો દેવદત્ત દિવસે ખાતો નથી ..એનો અર્થ એમ કે રાત્રિભોજન કરતો હશે.