અમધ્યપદી અનુમાન

જે અનુમાનમાં મધ્યપદની જરૂર ન હોય માત્ર એક જ આધાર વિધાન હોય તેને આધારે આપમેળે જ ફલિતવિધાન પ્રાપ્ત થાય તેવું અનુમાન એટલે અમધ્યપદી અનુમાન.

જેમકે,

સર્વ બાળકો નિર્દોષ છે.

આ વિધાન પરથી આપમેળે ફલિત થઈ જાય કે…

કોઈપણ બાળક ગુનેગાર નથી.

સર્વ વિદ્યાર્થીઓ હાજર છે.

આનો અર્થ એમ કે..

કોઈપણ વિદ્યાર્થીઓ ગેરહાજર નથી.

આમ, આ અનુમાનમાં મધ્યપદની જરૂર પડતી નથી એટલે આ અમધ્યપદી અનુમાન.

ન્યાયશાસ્ત્રમાં આને અર્થાપત્તિ કહે છે.

એમાં ઉદાહરણ છે કે

पीनो देवदत्त दिवा न भुङ्ते इति रात्रिभोजनं सूचयति |

જાડો દેવદત્ત દિવસે ખાતો નથી ..એનો અર્થ એમ કે રાત્રિભોજન કરતો હશે.

Leave a comment