Nitisar

नीतिसार
कुचैलिन्म् दन्तमलोपधारिनम् बहवाशिनं निष्ठुरवाक्यभाषिणं |
सूर्योदये ह्यस्तसमयेड़पि शायिनम् विमुञ्चति श्रीरपि चक्रपाणिम् ||
જે મલીન વસ્ત્ર ધારણ કરે છે,દાંત સ્વચ્છ રાખતો નથી,વધારે ભોજન કરે છે,કઠોર વાણી બોલે છે,સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ઊંઘે છે,તે જો સાક્ષાત વિષ્ણુ હોય તો પણ તેને લક્ષ્મી છોડી દે છે.
જે નખ વડે તણખલું તોડે છે,પૃથ્વી પર લખે છે,પગ ધોતો નથી,દાંત સ્વચ્છ રાખતો નથી,મલીન વસ્ત્ર પહેરે છે,માથું ઓળતો નથી,સવાર-સાંજ ઊંઘે છે,વસ્ત્ર ધારણ કર્યાં વગર શયન કરે છે, ભોજન અને મશ્કરી વધારે કરે છે,પોતાના અંગો અને આસન પર તાલ દે છે (વગાડે છે) તે વિષ્ણુ સમાન હોય તો પણ લક્ષ્મી તેને છોડી દે છે.

Leave a comment